નેશનલ શૂટર તારા શાહદેવ ધર્મપરિવર્તન મામલો: રકીબુલ હસનને આજીવન કેદની સજા

Contact News Publisher

નેશનલ શૂટર તારા  શાહદેવ ધર્મ પરિવર્તન મામલે CBI કોર્ટે આજે સજા સંભળાવી છે. નેશનલ શૂટર તારા શાહદેવને 9 વર્ષ બાદ ન્યાય મળ્યો છે. કોર્ટે મુખ્ય આરોપી રણજીત કોહલી ઉર્ફે રકીબુલ હસનને આજીવન કેદની સજા ફટકારી છે. જ્યારે હાઈકોર્ટના પૂર્વ રજિસ્ટ્રાર મુસ્તાક અહેમદને 15 વર્ષની સખત કેદની સજા અને રકીબુલ હસન ઉર્ફે રણજીત કોહલીની માતા કોસલ રાનીને 10 વર્ષની સજા ફટકારી છે. રણજીત કોહલી ઉર્ફે રકીબુલ હસનના વકીલ મુખ્તાર ખાને કહ્યું કે, તેઓ આ સજા વિરુદ્ધ હાઈકોર્ટમાં અપીલ કરશે. કોર્ટે ત્રણેયને અલગ-અલગ કલમો હેઠળ દોષિત ઠેરવ્યા હતા. ત્રણેયને કલમ 120B, 376(2)N, 298 અને 496 હેઠળ દોષિત ઠેરવ્યા હતા.