બાલાસોર ટ્રેન દુર્ઘટનાના 28 મૃતકો હતા લાવારીસ, 4 મહિના બાદ થયા અંતિમ સંસ્કાર

Contact News Publisher

ઓડિશાના બાલાસોર જિલ્લામાં થયેલ ટ્રેન દુર્ઘટનામાં અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. મૃતકોમાં કેટલાક મૃતદેહો એવા પણ હતા જેની દુર્ઘટનાના 4 મહિના બાદ પણ ઓળખ નહોતી થઈ શકી. આવી સ્થિતિમાં લાવારીસ પડેલા આ 28 મૃતદેહોના અંતિમ સંસ્કારની પ્રક્રિયા હવે આજે પૂરી કરવામાં આવી છે. દરમિયાન BMC મેયર સુલોચના દાસે જણાવ્યું હતું કે, ભુવનેશ્વર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મંગળવારથી લાવારસ મૃતદેહોના અગ્નિસંસ્કારનું કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું જે આજે સવાર સુધીમાં પૂર્ણ કરી લેવામાં આવ્યુ છે.