અંબાજી નકલી ઘી કેસ: મુખ્ય આરોપી દુષ્યંત સોનીએ કર્યું સરેન્ડર, હવે બનાવટી ઘીના સમગ્ર કેસનું થશે પોસ્ટ મોર્ટમ

Contact News Publisher

અંબાજીનાં મોહનથાળમાન નકલી ઘી સપ્લાય કરવા મામલે પોલીસ દ્વારા એક પછી એક ધરપકડ તેઓનો કોર્ટમાં રજૂ કરી તપાસ હાથ ધરી છે. ત્યારે નીલકંઠ ટ્રેડર્સનાં માલિક જતીન શાહે નકલી ઘી દુષ્યંત સોની પાસેથી ખરીદ્યું હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું. અંબાજી પોલીસ દ્વારા દુષ્યંત સોનીને પકડવા તપાસનાં ચક્રોગતિમાન કર્યા હતા. દુષ્યંત સોની અંબાજી પોલીસ મથકે હાજર થતા પોલીસે દુષ્યંત સોનીની અટકાયત કરી તેની તપાસ હાથ ધરી છે.