28 ઓક્ટોબરે પૂનમના દિવસે પાવાગઢ મંદિર બપોર બાદ બંધ રહેશે

Contact News Publisher

આગામી તા. 28 ના રોજ ચંદ્રગ્રહણ હોય જેને લઈને જગપ્રસિધ્ધ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર બંધ રાખવા અને દ્વારકાધીશ મંદિરમાં દર્શનના સમયના બદલાવ કરવા અગાઉ નિર્ણય લવાયા બાદ હવે પાવાગઢ મંદિર પણ 28 ઓકટોબરને પુનમના દિવસે બપોર બાદ બંધ રાખવા નક્કી કરાયું છે. ગ્રહણ હોવાથી બપોરે 2:30 વાગ્યા પછી મંદિર બંધ રહેશે અને આ ગ્રહણ સંપન્ન થયા બાદ નિયત વિધિ વિધાનો કર્યા બાદ મંદિરના દ્વાર ભક્તો માટે ખુલ્લા મુકવામાં આવશે.