કારચાલકો ફરી બેફામ: પાલનપુર-ભિલોડામાં કારની ટક્કર વાગતા બે બાઇકચાલકોના મોત

Contact News Publisher

વિકાસની હરણફાળ ભરતા ગુજરાતમાં અકસ્માતના કિસ્સાઓમાં પણ ચિંતાજનક રીતે વધારો નોંધાઈ રહ્યો છે. દિવસેને દિવસે અનેક લોકો માર્ગ અકસ્માતમાં મોતને ભેટતા હોવાના કિસ્સાઓ સામે આવતા હોય છે. આવી સ્થિતિ વચ્ચે આજે લગભગ નાની મોટી અકસ્માતની ત્રણ ઘટનાઓ સામે આવી હતી. જેમાં 3 વ્યક્તિઓના મોત નિપજ્યાં હોવાનું સામે આવ્યું છે.