‘કોઇ જાગૃત નાગરિક અવાજ ઉઠાવે તો MLAનો પુત્ર અર્જુનસિંહ જાડેજા ધાક-ધમકીથી દબાવી દે છે’, કચ્છના પાટીદાર અગ્રણી વસંત ખેતાણીનો ઘટસ્ફોટ
Contact News Publisher
કચ્છના પાટીદાર અગ્રણી વસંત ખેતાણી પર હુમલા અંગે મોટો ખુલાસો થયો છે. હુમલાને લઈને વસંત ખેતાણીએ અબડાસાના ભાજપના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાના પુત્ર અર્જુનસિંહ પર ગંભીર આક્ષેપો લગાવ્યા છે. તેઓએ જણાવ્યું છે કે, મેં અર્જુનસિંહ જાડેજા વિરુદ્ધ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરી હતી, જેથી અર્જુનસિંહે માણસો મોકલીને મારા પર હુમલો કરાવ્યો છે.