ફરી વિવાદોમાં સ્વામિનારાયણ સંપ્રદાય, નિરંજન સ્વામીએ આપ્યું વિવાદાસ્પદ નિવેદન

Contact News Publisher

સાળંગપુર મંદિરમાં હનુમાનજી મહારાજની ‘કિંગ ઓફ સાળંગપુર’ની પ્રતિમા નીચે કંડારવામાં આવેલા ભીંતચિત્રો બાદ ફરી સ્વામિનારાયણ સંપ્રદાય વિવાદમાં સપડાયો છે. સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુનો વધુ એક વિવાદિત વીડિયો સામે આવ્યો છે. જેમાં તેઓએ ગુરુ પ્રબોધ સ્વામીની પ્રશંસા કરવામાં દેવતાઓનું અપમાન કર્યું છે. સ્વામિનારણ સંતના વિવાદાસ્પદ નિવેદનને લઈને મહંત જ્યોર્તિનાથ મહારાજની પ્રતિક્રિયા સામે આવી છે. તેઓએ કહ્યું કે, બફાટ કરનાર અને સાંભળનાર બંન્ને પાપી છે. તેઓએ કહ્યું કે, સનાતન ધર્મને હાનિ પહોંચાડી તમે શું સાબિત કરવા માંગો છો?