જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીએ વધુ એક પ્રવાસી મજૂરની કરી નાખી હત્યા

Contact News Publisher

કાશ્મીરમાં ફરી એક વખત આતંકવાદીઓએ પ્રવાસી મજૂરની ગોળી મારીને હત્યા કરી નાખી છે. આ મામલો પુલવામાના એક ગામનો છે. જ્યાં યુપીના રહેનારા મુકેશ કુમારને આતંકવાદીઓએ નિશાન બનાવ્યો હતો. આ ઘટના બાદ વિસ્તારમાં સઘન સુરક્ષા વ્યસ્થા ગોઠવી દેવામાં આવી છે. આ ઘટનાને અંજામ આપ્યા બાદ આતંકવાદી ફરાર થવામાં સફળ રહ્યો હતો. પોલીસે CRPF અને આર્મીના જવાનોની સાથે મળીને ઘટના સ્થળ અને તેની આસપાસના વિસ્તારોને કોર્ડન કરીને સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.