એક્ટ્રેસની પંખે લટકતી લાશ મળતાં ખળભળાટ, 35 વર્ષની ઉંમરમાં કેમ છોડી દીધી દુનિયા

Contact News Publisher

મનોરંજન જગતમાંથી વધુ એક વાર દુખદ ખબર આવી છે. લોકપ્રિય મલયાલમ એક્ટ્રેસ અને મોડલ રેન્જુશા મેનને કેરળના થિરુવનંતપુરમના તેના ભાડમાં ઘરમાં આપઘાત કરી લેતા ચકચાર મચી છે. સોમવારે તેના ઘરમાં પંખે લટકતી તેની લાશ મળી આવી હતી ત્યારે લોકોને ખબર પડી કે તેણે ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે. મીડિયા રિપોર્ટ અનુસાર, છેલ્લા થોડા દિવસથી તેને પૈસાની ખૂબ તકલીફ હતી એથી એવી અટકળો વહેતી થઈ છે કે આર્થિક સંકડામણને કારણે તેણે આપઘાત કર્યો હોઈ શકે છે.