બિઝનેસમેન મનીષ કનોડિયાના પુત્રના અપહરણ અને હત્યા કેસમાં નવો વળાંક, હત્યા પાછળનું કારણ આવ્યું સામે

Contact News Publisher

કાનપુરના ટેક્સટાઇલ બિઝનેસમેન મનીષ કનોડિયાના પુત્ર કુશાગ્ર કનોડિયાની હત્યાનું કારણ તપાસવામાં આવી રહ્યું છે. આ ઘટનામાં અનેક એંગલ સામે આવી રહ્યા છે. આ મામલામાં લવ ટ્રાયેન્ગલની સાથે પૈસા પડાવી લેવાની વાત પણ સામે આવી રહી છે. મનીષ કનોડિયા કાનપુરના મોટા કાપડના વેપારીઓમાં જાણીતા છે. તેમનો બિઝનેસ ગુજરાત સુધી વિસ્તરેલો છે.

કુશાગ્રનું સોમવારે અપહરણ કરવામાં આવ્યું હતું. આરોપીઓએ કુશાગ્રનું અપહરણ કર્યા બાદ તેનું ગળું દબાવી હત્યા કરી હતી. પોલીસે હત્યામાં સંડોવાયેલા ત્રણેય આરોપીઓની ધરપકડ કરી હતી. પકડાયેલા આરોપીઓમાં કુશાગ્રની શિક્ષિકા રચિતા વત્સનો પણ સમાવેશ થાય છે. કુશાગ્રની હત્યામાં રચિતાની સાથે તેનો બોયફ્રેન્ડ પ્રભાત અને મિત્ર શિવ પણ સામેલ હતા. પોલીસની માહિતી અનુસાર, ઘટનાના મુખ્ય આરોપી પ્રભાતે કહ્યું હતું કે કુશાગ્રની હત્યા પાછળનું કારણ તેની ગર્લફ્રેન્ડ રચિત સાથેની નિકટતા હતી.