અલીગઢનું નામ બદલીને હરિગઢ થશે, નગર નિગમની બેઠકમાં પ્રસ્તાવ પાસ, સરકાર લગાવશે અંતિમ મહોર

Contact News Publisher

અલીગઢનું નામ બદલીને હરિગઢ કરવાનો પ્રસ્તાવ નગર નિગમના ભાજપના કાઉન્સિલર સંજય પંડિતના સૂચન પાસ થઈ ગયો છે. આ પ્રસ્તાવ સરકારને મોકલવામાં આવશે. સરકાર જ આ પ્રસ્તાવ પર અંતિમ મહોર લગાવશે.

અલીગઢ નગર નિગમની પ્રથમ બોર્ડ બેઠક હંગામા સાથે શરૂ થઈ હતી. આ વચ્ચે ભાજપના કાઉન્સિલર સંજય પંડિતે અલીગઢને હરિગઢ બનાવવાનો પ્રસ્તાવ રાખ્યો હતો. આ પ્રસ્તાવ પાસ થઈ ગયો છે. હવે આ પ્રસ્તાવ સરકારને મોકલવામાં આવશે. ત્યારે હવે સરકાર જ તેના પર અંતિમ મહોર લગાવશે.

આ પહેલી વખત નથી કે, જ્યારે હરિગઢનો અવાજ ઉઠાવવામાં આવ્યો હોય. આ અગાઉ 21 ઓગષ્ટના રોજ કલ્યાણ સિંહની પુણ્યતિથિ પર આયોજિત હિન્દુ ગૌરવ દિવસ કાર્યક્રમમાં ડેપ્યુટી સીએમ એ પણ આ જ સંદેશ આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે, લોકસભાની યુપીની તમામ બેઠકો ફરીથી જીતીને કલ્યાણ સિંહનું સપનું સાકાર કરવાનો સંકલ્પ લેવો પડશે. એ જ હરિગઢની ધરતીથી સંકલ્પ લઈને કલ્યાણ સિંહને શ્રદ્ધાંજલિ હશે.

આજે તેમના એજ સંકેતને ભાજપના કાઉન્સિલરે સૂચન તરીકે નગર નિગમના સત્રમાં પ્રસ્તાવ પાસ કરાવ્યો હતો. આ ભાજપની તૈયારીના સંકેતો છે. હવે આ પ્રસ્તાવ સરકારને મોકલવામાં આવશે. ત્યાંથી તેના પર અંતિમ મહોર લાગશે. ભૂતકાળમાં જિલ્લા પંચાયત બોર્ડે પણ આ પ્રસ્તાવ પાસ કરી ચૂક્યુ છે.