ઓખા-બેટ દ્વારકા વચ્ચે ચાલતી ફેરી બોટ સર્વિસ ફરીવાર બંધ કરાઇ, યાત્રિકો નહીં કરે બેટ દ્વારકાના દર્શન, જાણો કારણ
ઓખા બેટ દ્વારકા વચ્ચે ચાલતી ફેરી બોટ સર્વિસને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. વિગતો મુજબ હવામાનની આગાહીને પગલે દરિયાકાંઠે તેજ પવન શરૂ થતાં હવે ઓખા બેટ દ્વારકા વચ્ચે ચાલતી ફેરી બોટ સર્વિસ બંધ કરાઇ છે. વિગતો મુજબ તેજ પવન શરૂ થતાં GMB દ્વારા યાત્રિકોની સલામતીને ધ્યાને લઈ બોટ સર્વિસ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મહત્વનું છે કે, હવામાન વિભાગે આજે રાજ્યના અમુક વિસ્તારોમાં ભારે પવન સાથે કમોસમી વરસાદની આગાહી કરી છે.
દ્વારકા અને ઓખા બેટ વચ્ચે ચાલતી ફેરી બોટ સર્વિસને બંધ કરવામાં આવી છે. વિગતો મુજબ દરિયાકાંઠે ભારે પવનના કારણે બોટ સર્વિસ બંધ કરાઈ છે. અહીં તેજ પવન શરૂ થતાં GMBએ દ્વારા આ નિર્ણય લેવાયો છે. મહત્વનું છે કે, યાત્રિકોની સલામતીને ધ્યાને લઈ બોટ સર્વિસ બંધ કરવામાં આવતા હવે આજે યાત્રિકો બેટ દ્વારકા દર્શન નહિ કરી શકે. અહીં નોંધનિય છે કે, વાતાવરણ સામાન્ય બન્યા બાદ યાત્રિકો માટે ફરી બોટ પુનઃ શરૂ થશે.
હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ 25થી 27 નવેમ્બર વચ્ચે રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. તેમણે કહ્યું કે અનેક જગ્યાએ ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ પડી શકે છે. પરેશ ગોસ્વામીએ કહ્યું કે, 24 નવેમ્બરથી ગુજરાત ઉપર ગાઢ વાદળો છવાવાનું ચાલુ થઈ જશે. આ સાથે તેમણે કહ્યું કે, છેલ્લા 4 વર્ષની અંદર સૌથી તીવ્રતાવાળું માવઠું એ 25 થી 27 નવેમ્બર 2023 દરમિયાન જોવા મળશે. મોટા ભાગે માવઠાની અંદર સામાન્ય વરસાદ પડતાં હોય છે પણ આ માવઠામાં અનેક વિસ્તારોની અંદર 2 થી 3 ઇંચ વરસાદ જોવા મળશે અને પવનની સ્પીડ સામાન્ય રીતે વધી 30 થી 40 કિલોમીટર પ્રતિકલાકની ઝડપ જોવા મળે તેવું અનુમાન છે.