બિસ્માર રોડ લોકો માટે આફત બન્યો, વાહન ક્યાં ચલાવવું એ મૂંઝવણ
Contact News Publisher
ગુણવત્તા ભર્યા રોડ અને હાઇવે વિકાસની ગતિ માટે પાયાની જરૂરિયાત છે. પરંતુ ભ્રષ્ટાચારનો શિષ્ટાચાર આપણા રોડમાં મોટા ગાબડા પાડી ગયો છે. જેના કારણ વિકાસની યાત્રા નિર્ધારિત સમયમાં પોતાની મંજિલ સુધી નથી પહોંચતી. આપણે આજે વાત કરવી છે સુરેન્દ્રનગરના ચુડા તાલુકાના કોરડા ગામથી પસાર થતા રોડની. છેલ્લાં ઘણા સમયથી અહીંનો બિસ્માર રોડ લોકો માટે આફત બની ગયો છે. ત્યારે જનતાને પડી રહી છે પારાવાર મુશ્કેલી.