ગુજરાતમાં પવનની દીશા બદલાતા ગરમીમાં રાહત, જાણો કેવું રહેશે 7 દિવસ વાતાવરણ

Contact News Publisher

હવામાન વિભાગે રાજ્યના વાતાવરણ અંગે આગાહી કરી છે. હવામાન વિભાગે રાજ્યમાં આગામી 7 દિવસ વાતાવરણ સૂકું રહેવાની આગાહી કરી છે. સાથે જ પવન ની દીશા બદલાતા તાપમાનમાં ઘટાડો અને ગરમીથી રાહત મળવાની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં દક્ષિણ પશ્ચિમથી દક્ષિણની હવા ચાલી રહી છે. જેની આ અસર છે. તેમજ ગીર સોમનાથમાં ગત રોજ  હીટવેવની સ્થિતિ જોવા મળી હતી. જ્યારે આજે સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારે ભેજ વાળા ગરમ પવનના કારણે અકળામણ અનુભવશે તેવી શકયતા વ્યક્ત કરે છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદ સહિત મોટાભાગના શહેરોમાં તાપમાન 40 ડિગ્રી આસપાસ રહ્યું. તેમજ અમરેલીમાં 42 ડિગ્રી રહ્યું. જેમાં આંશિક ઘટાડો થતા લોકોને ગરમીમાં આંશિક રાહત મળશે.