ભારતે પાકિસ્તાનના બાલાકોટમાં છેક 70 કિલોમીટર અંદર ઘુસીને એર સ્ટ્રાઈક કરી હતી.—ઇટાલીયન પત્રકારનો ચોંકાવનારો ખુલાસો.

Contact News Publisher

ભારતીય વાયુસેનાએ બાલાકોટમાં કરેલી એર સ્ટ્રાઈકને પાકિસ્તાન કોઈ પણ કાળે સ્વિકારવા જ તૈયાર નથી ત્યારે ઈટાલીના એક પત્રકારે સનસનાટીપૂર્ણ ખુલાસો કર્યો છે. જમ્મૂ-કાશ્મીરના પુલવામામાં આત્મઘાતી હુમલા બાદ ભારતે પાકિસ્તાનના બાલાકોટમાં છેક 70 કિલોમીટર અંદર ઘુસીને એર સ્ટ્રાઈક કરી હતી. પરંતુ આ મામલે કોંગ્રેસ સહિત અનેક વિરોધ પક્ષોએ સવાલ ખડા કર્યા હતા. તે દરમિયાન જ ઈટાલીના પત્રકાર ફ્રેંસેસા મૈરિનોએ આ ઘટનાનું આખુ વર્ણન STRINGERASIA.ITમાં છાપીને દેશ અને દુનિયામાં ભારે સનસનાટી મચાવી દીધી છે.

મૈરિકોએ લખ્યું છે કે, ભારતીય વાયુસેનાએ સવારે સાડા ત્રણ વાગ્યે પાકિસ્તાનમાં હુમલા કર્યા હતાં. આ હુમલા બાદ પાકિસ્તાનના શિંકયારી આર્મી કેંપથી સેનાની એક ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.

મૈરિનોએ આગળ ઉમેર્યું હતું કે, સેનાની ટુકડી હુમલાના દિવસે જ સવારે 6 વાગ્યે બાલાકોટમાં જ્યાં એર સ્ટ્રાઈક કરવામાં આવી હતી ત્યાં પહોચી ગઈ હતી. શિંકયારી બાલાકોટથી 20 કિલોમીટર દૂર છે અને અહીં પાકિસ્તાન આર્મીનો બેઝ કેંપ પણ છે. અહીં પાકિસ્તાની સેનાની જૂનિયર લીડર્સ એકેડમી પણ છે. આર્મીની ટુકડી બાલાકોટ પહોંચતા જ ત્યાં અનેક લોકો પાકિસ્તાન આર્મીની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. સ્થાનિક સૂત્રોના જણાવ્યા પ્રમાણે આર્મી કેંપની હોસ્પિટલમાં હજી પણ લગભગ 45 લોકો સારવાર હેઠળ છે. તે ઉપરાંત સારવાર દરમિયાન 20 જેટલા લોકોના મોત પણ નિપજ્યાં છે.

ઈટાલિયન પત્રકારના જણાવ્યા પ્રમાણે, સારવાર બાદ જે લોકો સાજા થયા તેમને પાકિસ્તાન આર્મીએ પોતાની કસ્ટડીમાં રાખ્યા છે અને તેમને હોસ્પિટલમાંથી હજી સુધી રજા નથી આપવામાં આવી. અનેક સપ્તાહની ખણખોદ બાદ પોતાના વિશ્વસનીય સૂત્રોની મદદથી આ જાણકારી પત્રકારે હાંસલ કરી છે. પત્રકારના જણાવ્યા પ્રમાણે આ હુમલામાં જૈશ-એ-મોહમ્મદના અનેક કેડર પણ માર્યા ગયાં. મૃતકોની સંખ્યા 130-170 સુધીની હોઈ શકે છે. આ મૃતકોમાં એ પણ શામેલ છે જેમના સારવાર દરમિયાન મોત નિપજ્યા છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *