સિક્કિમમાં વાદળ ફાટવાથી તબાહી, સેનાના 23 જવાનો લાપતા: તિસ્તા નદીમાં અચાનક જ આવેલ પૂરના કારણે પરિસ્થિતિ ગંભીર
Contact News Publisher
ઉત્તર સિક્કિમમાં લોનાક તળાવ પર અચાનક વાદળ ફાટવાથી તિસ્તા નદીમાં પૂર આવ્યું. સેનાના 23 જવાનો ગુમ થયાના સમાચાર છે. વહીવટીતંત્રે આસપાસના લોકોને સતર્ક રહેવા જણાવ્યું છે. સર્ચ ઓપરેશન ચાલુ છે. આ દુર્ઘટનામાં ઘાટીમાં કેટલાક સૈન્ય મથકોને અસર થઈ છે. જ્યારે વાદળ ફાટ્યા બાદ પૂર જેવી સ્થિતિ સર્જાઈ ત્યારે મુખ્યમંત્રી પ્રેમ સિંહ તમંગ સિંગતમ પહોંચ્યા અને અહીં તેમણે પરિસ્થિતિનો તાગ મેળવ્યો.