અબડાસા ચૂંટણી : ૧૧ વાગ્યા સુધી ૨૧.૯૪ ટકા શાંતિપૂર્ણ મતદાન

Contact News Publisher

ગુજરાત વિધાનસભાની આઠ બેઠકની પેટાચૂંટણી માટે આજે મતદાન યોજાઈ રહ્યું છે આ બેઠકો પક્ષ પલટાને કારણે ખાલી પડી છે. આજે સવારે સાત વાગ્યાથી શરૂ થયેલા મતદાનમાં ૧૧ વાગ્યા સુધીમાં ૨૧.૯૪ ટકા શાંતિપૂર્ણ મતદાન થયું છે.

તો આજે કચ્છ-મોરબી સાંસદ વિનોદભાઈ ચાવડાએ નખત્રાણાના સુખપર રોહા મધ્યે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી મતદાન કર્યું હતું તો ભાજપના ઉમેદવાર પ્રદ્યુમનસિંહ જાડેજાએ અબડાસાના વીંજાણું મધ્યે મતદાન કર્યું હતું, તો બીજી તરફ કોંગ્રેસના ઉમેદવાર શાંતિલાલ સેંઘાણીએ પોતાના સ્થાનિક વિસ્તારમાં મતદાન કર્યું હતું. તો આજે થતી ૧-અબડાસા વિધાન સભાની ચૂંટણી પ્રક્રિયામાં કોઈપણ જગ્યાએ હજુ સુધી ઇવીએમ મશીન ખોટપાયા હોય તેવી કોઈ ફરિયાદ ઊભી થયી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *