ચંદ્રયાન-3ની સફળતા બાદ ISRO 2 સપ્ટેમ્બરે આદિત્ય L1 મિશન કરશે લોન્ચ

Contact News Publisher

ચંદ્રયાન-3ની સફળતા બાદ હવે ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન એક નવું પગલું ભરવા જઈ રહ્યું છે. તેમણે  કહ્યું આદિત્ય L1 મિશન 2 સપ્ટેમ્બરે સવારે 11.50 વાગ્યે આંધ્રપ્રદે શ્રીહરિકોટાથી લોન્ચ કરવામાં આવશે. આ મિશન PSLV-C57 રોકેટથી લોન્ચ કરવામાં આવશે, જેનો ઉદ્દેશ્ય સૂર્યના રહસ્યોનો અભ્યાસ કરવાનો છે. તેમજ ક્રોમોસ્ફેરિક અને કોરોનલ હીટિંગ, આંશિક રીતે આયનાઇઝ્ડ પ્લાઝ્માના ભૌતિકશાસ્ત્ર અને કોરોનલ માસ ઇજેક્શન અને જ્વાળાઓની શરૂઆતની તપાસ કરવા માટે. તે જ સમયે, આદિત્ય એલ-1 સૂર્યનો અભ્યાસ કરનાર પ્રથમ ભારતીય અવકાશ-આધારિત વેધશાળા હશે.