સાળંગપુર ભીંતચિત્ર વિવાદ મામલે સનાતન ધર્મના સાધુ-સંતોએ એક થઈને સ્વામીનારાયણ સંપ્રદાયના બહિષ્કારનો સંકલ્પ કર્યો
અમદાવાદ સરખેજના લંબે હનુમાન ખાતે મોટી સંખ્યામાં સાધુ સંતો ઉપસ્થિત થયા છે અને આ બેઠકમાં ભીંતચિત્રો સામે ઉઠેલા વિરોધ મામલે મહત્વનો નિર્ણય લેવામા આવેલ છે. સંતો દ્વારા આ મામલે મહત્વના શપથ લેવામાં આવ્યા છે અને તેમાં સ્વામીનારાયણ સંપ્રદાયનો બહિષ્કાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સિવાય સ્વામીનારાયણ સંપ્રદાયના સંતોને નહીં આવકારવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે. નોંધનીય એ છે કે સાળંગપુર ભીંતચિત્રો મુદ્દે બેઠક કરવા માટે ઋષિ ભારતી બાપુએ આમંત્રણ આપ્યું હતું, જ્યાં સાધુ-સંતો હાજર રહ્યા અને આ મુદ્દે ચર્ચા કરીને સ્વામીનારાયણ સંપ્રદાયના બહિષ્કારનો નિર્ણય લેવામાં આવ્યો છે.સાળંગપુરમાં હનુમાનજીને સ્વામીનારાયણ સંત સામે દાસ તરીકે દર્શાવવામાં આવ્યા છે તે મુદ્દે સનાતન ધર્મ નારાજ છે, આ ભીંતચિત્રો દૂર કરવાની માંગ કરવામાં આવી રહી છે. આ વચ્ચે સાધુ-સંતોની જે બેઠક યોજવામાં આવી તેમાં મહત્વના નિર્ણય કરવામાં આવ્યા છે અને સાધુ-સંતોએ સ્વામીનારાણય સંપ્રદાયનો બહિષ્કાર કરવાના શપથ પણ લીધા છે.