સંસદના વિશેષ સત્ર વચ્ચે PM મોદીએ બોલાવી કેબિનેટ બેઠક, સાંજના 6:30 કલાકે થઇ શકે છે મોટું એલાન
કેન્દ્ર સરકાર દ્વારા બોલાવવામાં આવેલ સંસદનાં 5 દિવસીય વિશેષ સત્રની શરૂઆત થઈ ગઈ છે. સત્રની શરૂઆત PM મોદીનાં સંબોધનથી થઈ. PMએ G20ની સફળતાનો ઉલ્લેખ સદનમાં કર્યો. વિશેષ સત્રનાં પહેલા જ દિવસે સંસદનાં 75 વર્ષોની યાત્રાની ચર્ચા કરી. એટલું જ નહીં આજે સાંજે 6.30 વાગ્યે PM મોદીએ ખાસ કેબિનેટ મીટિંગ પણ યોજી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ કેબિનેટ બેઠકમાં કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લેવાઈ શકે છે.તેમણે કહ્યું કે આ 75 વર્ષોમાં સંસદની સૌથી મોટી ઉપલબ્ધિ એ છે કે દેશનાં સામાન્ય લોકોનો વિશ્વાસ આ સદન પર વધતો ગયો છે. PM અનુસાર લોકતંત્રની સૌથી મોટી શક્તિ એ જ છે કે આ મહાન સંસ્થા પ્રતિ લોકોનો વિશ્વાસ બન્યો રહે. તેમણે કહ્યું કે આપણાં બધા માટે એ ગર્વની વાત છે કે આજે ભારત ‘વિશ્વ મિત્ર’નાં રૂપમાં પોતાનું સ્થાન બનાવી શક્યું છે. આજે સમગ્ર વિશ્વ, ભારતમાં પોતાનો મિત્ર શોધી રહ્યું છે, ભારતની મિત્રતાનો અનુભવ કરી રહ્યું છે.