કેનેડાના લોકોને નહીં મળે ભારતના વિઝા, વિવાદની વચ્ચે મોદી સરકારનો મોટો નિર્ણય

Contact News Publisher

મોદી સરકારે કેનેડાને આપ્યો મોટો ફટકો,કેનેડાના લોકોને વીઝા આપવાનું કર્યું બંધ,વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ આપી જાણકારી ભારત અને કેનેડા વચ્ચે ચાલી રહેલા વિવાદ વચ્ચે કેન્દ્ર સરકારે લીધો મોટો નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકારે કેનેડાના લોકોના વીઝા બંધ કરી દીધા છે.વિદેશ મંત્રાલયે તેને સ્થગિત કરવાનો નિર્ણય કર્યો છે. તેમણે કહ્યું કે “કેનેડામાં હાઈ કમિશન અને કોન્સ્યુલેટ સુરક્ષાને લઈને ચિંતિત છે. ધમકીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આનાથી તેમની સામાન્ય કામગીરી પર અસર પડી રહી છે. આથી હાઈ કમિશન અને કોન્સ્યુલર વિઝા હંગામી ધોરણે વિઝાની અરજીઓ આપી શકતા નથી. તેની સમીક્ષા ચાલુ રહેશે.