ભરૂચ-અંકલેશ્વરને જોડતો બ્રિજ બન્યો ‘સ્યુસાઇડ પોઇન્ટ’: છેલ્લાં 3 વર્ષમાં 25થી 30 લોકોએ લગાવી મોતની છલાંગ

Contact News Publisher

ભરૂચ અને અંકલેશ્વરને જોડતો નર્મદા મૈયા બ્રિજ લોકો માટે સુસાઇડ પોઇન્ટ બન્યો હોવાની સ્થિતિ બની છેઆ નર્મદા મૈયા બ્રિજ પરથી છેલ્લા 20 દિવસમાં ચાર જેટલા લોકોએ પડતું મૂક્યું હોવાની ઘટના સામે આવી છે. જેમાં એક યુવતીનો સ્થાનિક માછીમારો અને સ્મશાન સંચાલક ધર્મેશ સોલંકી દ્વારા બચાવ કરવામાં આવ્યો હતો. જોકે 4 લોકો પૈકી હજુ પણ 2 લોકોના મૃતદેહ હજી સુધી મળ્યા નથી.