દુલ્હન બનીને મહિલાઓ સાથે કરતો રેપ, વધુ એક ઢોંગી બાબાની ખુલી કરમ કૂંડળી

Contact News Publisher

દિલ્હીમાં માતાના દરબારને નામે મહિલાઓનું યૌન શૌષણ કરનાર બાબા વિનોદ કશ્યપની પોલીસે ધરપકડ કરી છે. હવે વિનોદ કશ્યપને લઇને ઘણી નવી વાતો સામે આવી રહી છે. મીડિયા રિપોર્ટ અનુસાર 33 વર્ષીય વિનોદ કશ્યપે દ્વારકામાં પોતાના બે માળના ઘરમાં ધાર્મિક દરબાર લગાવવાનું શરૂ કર્યું હતું. જણાવવામાં આવી રહ્યું છે કે, વિનોદ કશ્યપ માતા મશાની ચોકીના નામે દરબાર લગાવતો હતો. વિનોદ કશ્યપ પહેલા નજીકની હોસ્પિટલમાં કામ કરતો હતો. તેણે આ હોસ્પિટલમાં 3-4 વર્ષ કામ કર્યું અને મહિને 25 હજાર રૂપિયા પગાર મળતો હતો. આ પછી વિનોદ કશ્યપે નોકરી છોડવાનો નિર્ણય કર્યો અને પોતાનો આશ્રમ ખોલ્યો. આશ્રમમાં વિનોદ કશ્યપ માતા મશાની ચોકીના નામે દરબાર લગાવતો હતો. તેનો દાવો છે કે તેને ભગવાનના આશીર્વાદ છે. વિનોદ કશ્યપનો દાવો છે કે તે લોકોની વ્યક્તિગત અને સ્વાસ્થ્ય સમસ્યાઓની સારવાર કરે છે. ધીમે ધીમે પોતાને બાબા કહેતા વિનોદ કશ્યપના આશ્રમમાં ભક્તોની સંખ્યા વધતી ગઈ અને તેમના આશ્રમમાં દર અઠવાડિયે લગભગ 400 લોકો તેમના આશીર્વાદ લેવા આવવા લાગ્યા.