મોદી સ્ટેડીયમમાં પ્રેક્ષકો બિમાર: 108ને અંદાજે 150 જેટલા કોલ મળ્યા, બેભાન થવા સહિત આ તકલીફો સામે આવી

Contact News Publisher

ભારત-પાકિસ્તાન વચ્ચે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જંગ જામ્યો છે.  મેચને લઈ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રેક્ષકો બિમાર થવાની ઘટનાઓ સામે આવી છે. જેમાં અંદાજે 150 જેટલા લોકો બિમાર થયા હોવાનાં કોલ ઈમરજન્સી 108 ને મળવા પામ્યા છે. જેમાં મોટા ભાગે બેભાન થવું, માથુ દુખવું તેમજ ધ્રુજારી થવાની ઘટનાઓ સામે આવી છે. જેમાં અમુકને સ્ટેડિયમમાં જ પ્રાથમિક સારવાર આપવામાં આવી છે. જ્યારે 4 દર્દીઓ ગંભીર જણાતા તેઓને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા.