આવતીકાલથી હાથીજણમાં યોજાશે બાબા બાગેશ્વરનો ત્રિદિવસીય દિવ્ય દરબાર, 2 લાખ ભક્તો આવે તેવી શક્યતા

Contact News Publisher

અમદાવાદનાં હાથીજણ વિસ્તારમાં ફરી એકવાર બાબા બાગેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રીનાં દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું છે.  ત્યારે હાથીજણ ખાતે તા. 18 થી 20 દરમ્યાન ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર યોજાવાનો છે. જેને લઈ આજે કળશયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. 18 ઓક્ટોબર ત્રણ દિવસ ધીરેન્દ્ર શાસ્ત્રીની કથાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કથામાં દોઢ થી બે લાખ ભક્તો આવે તેવી શક્યતા છે. તેમજ કથા બાદ રાત્રી દરમ્યાન ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ધીરેન્દ્ર શાસ્ત્રી ગુજરાતમાં નવરાત્રીની ઉજવણી કરશે.