નવરંગપુરામાં ટાબરિયાએ વચ્ચે પડનાર યુવકને છરી મારી પતાવી દીધો, આઈસ્ક્રીમ પાર્લર વાળા સાથે થઈ હતી રકઝક

Contact News Publisher

નવરંગપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આશ્રમ રોડ પર એક સગીર યુવકે છરીના ઘા ઝીંકી યુવકની હત્યા કરી દેતા ચકચાર મચી ગઈ છે. હાલ પોલીસે ટાબરીયાની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ કેસની વિગત એવી છે કે, અમદાવાદના નવરંગપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સિટીગોલ્ડ સિનેમાની બાજુમાં શીતલ આઈસ્ક્રીમ પાર્લરમાં સગીર યુવક આઈસ્ક્રીમ લેવા ગયો હતો. આઈસ્ક્રીમ પાર્લર વાળા પાસે કોઈ મામલે રકઝક કરી રહ્યો હતો. જ્યાં ઉભેલા એક વ્યક્તિ તેને સમજવાનો પ્રયાસ કરી રહ્યો હતો. આ દરમિયાન આ ટાબરિયાએ પોતાની પાસે રહેલી છરી મારી દીધી હતી. પરિણામે તેનું મોત નિપજ્યું હતું. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.

સગીર યુવકની અટકાયત કરી પોલીસ આગળની તપાસ હાથ ધરી

બીજી તરફ આ બનાવની જાણ થતા પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. હાલ તો સમગ્ર મામલે પોલીસે સગીર યુવકની અટકાયત કરી આગળની તપાસ હાથ ધરી છે.

સગીર પોતાનું ઘર છોડીને ભટકતો હોય તેવું તપાસમાં ખુલ્યું

પકડાયેલા સગીરના પિતા મૃત્યુ પામ્યા છે અને તેની માતા કોતરપુર વિસ્તારમાં રહે છે. સગીર છેલ્લા ઘણા સમયથી પોતાનું ઘર છોડીને રખડતો ભટકતો હોય તેવું તપાસમાં ખુલ્યું છે.

Exclusive News