ક્રિકેટ વર્લ્ડ કપ ૨૦૧૯ માટે ભારતે પોતાની ટીમ કરી જાહેર, જાણો કોનો થયો સમાવેશ અને કોની થઈ બાદબાકી..
Contact News Publisher
ભારતમાં ક્રિકેટ ફીવર ખૂબ જ ઉચ્ચ કક્ષાએ જોવા મળતું હોય છે અને એમાં પણ IPL અને વર્લ્ડ કપ ની મેચોમાં તો ક્રિકેટના ચાહકો ખૂબ જ ઉત્સાહી હોય છે. આ વચ્ચે ક્રિકેટ વર્લ્ડ કપ ૨૦૧૯ માટે BCCI એ ભારતની ટીમની જાહેરાત કરી છે. આ ટીમમાં વિરાટ કોહલી(કેપ્ટન), રોહિત શર્મા(વાઈસ કેપ્ટન), શિખર ધવન, કે.એલ. રાહુલ, વિજય શંકર, એમ. એસ. ધોની, કેદાર જાદવ, દિનેશ કાર્તિક, યજુવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, ભુવનેશ્વર કુમાર, જસપ્રીત બુમરાહ, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, હાર્દિક પંડ્યા નો સમાવેશ થાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે રિષભ પંત અને અંબતી રાયડું ને પણ ટીમમાં સ્થાન આપવામાં આવ્યું નથી.