સંગઠિત ગુનાખોરીને અટકાવવા કચ્છમાં સ્પેશિયલ કોર્ટ શરૂ કરવા સરકારનો આદેશ
રાજ્યમાં બનતા આતંકવાદ તેમજ સુનિયોજિત ગુનાઓને નિયંત્રણ લેવા માટે તેમજ રાજ્ય સરકારે સુરક્ષામાં વધારો થાય તે હેતુથી ગુજસીકોટના કાયદા ને વિધાનસભામાં પસાર કર્યો હતો અને રાષ્ટ્રપતિ દ્વારા મંજૂરી મળી જતાં કાયદાને સત્વરે અમલમાં મૂકી રાજ્યના પાંચ મહત્વના શહેરોમાં અદાલતો શરૂ કરવા આદેશ કરાયા છે. આ સ્પેશિયલ અદાલત કચ્છ ઉપરાંત અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરત જિલ્લાઓમાં શરૂ કરાશે.
ગુજસીકોટ કાયદો રાષ્ટ્રપતિ દ્વારા મંજુર થતા કાયદાને સત્વરે અમલમાં મુકી રાજ્યના કાયદા વિભાગે ગુજરાતના પાંચ મહત્વના શહેરોમાં સ્પેશિયલ અદાલત શરૂ કરવા આદેશ કર્યો છે. આ સ્પેશિયલ અદાલતોમાં જજ તરીકે જે તે પ્રિન્સીપાલ ડિસ્ટ્રીકટ જજ રહેશે. જેમાં કચ્છ, અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરત માં સ્પેશિયલ અદાલત શરૂ થશે. નોંધનીય છે કે આતંકવાદ તેમજ સુનિયોજિત ગુનાઓને અટકાવવા માટે તેમજ સુરક્ષામાં વધારો થાય તે હેતુથી આ કાયદાને વિધાનસભામાં પસાર કરાયો હતો જેને રાષ્ટ્રપતિ દ્વારા મંજૂરી અપાતા કાયદા વિભાગને મહત્વના પાંચ શહેરોમાં સ્પેશિયલ અદાલત શરૂ કરવા જાણ કરાઇ હતી.