સ્વ. મનસુખભાઇ બારાઇએ કરેલી સેવાકીય – સંસ્થાકીય તેમજ ગૌ શાળાની પ્રવૃતિઓને મહામહિમે બિરદાવી

Contact News Publisher
ગાંધીનગર – 19 Nov 2021
બારાઈ પરિવારને મળી એમની સેવાકીય પ્રવૃત્તિઓને બિરદાવી
ભારતના મહામહીમ રાષ્ટ્રપતિશ્રી રામનાથ કોવિંદજીએ સ્વ. મનસુખભાઇ બારાઇના પરીવારની શુભેચ્છા મુલાકાત લીધી
 ભારતના મહામહીમ રાષ્ટ્રપતિશ્રી રામનાથ કોવિંદજીની ગુજરાતની મુલાકાત વખતે તાજેતરમાં રાજભવન ગાંધીનગર ખાતે સ્વ. મનસુખભાઇ બારાઇના પરીવારના આલાપ ભરતભાઈ બારાઇ અને ભરતભાઈ મનસુખભાઇ બારાઇને શુભેચ્છા મુલાકાત આપી હતી. ખુબજ ટૂંકા ગાળામાં બીજી વખત રાષ્ટ્રપતિશ્રીને મળવાનું આલાપભાઈ અને ભરતભાઈને સૌભાગ્ય પ્રાપ્ત થયું હતુ.
મહામહિમ સાથે આલાપ ભરતભાઈ બારાઇ અને ભરતભાઈ મનસુખભાઇ બારાઇ
સ્વ. મનસુખભાઇ બારાઇના પરીવાર સાથે મહામુહીમ રાષ્ટ્રપતિશ્રીને પહેલીથીજ આત્મીયતાનો નાતો છે ,માટે રામનાથ કોવિંદજી જયારે પણ ગુજરાતની મુલાકાતે આવે છે ત્યારે બારાઇ પરીવારને  અચુક યાદ કરે છે. રાષ્ટ્રપતિશ્રીની આ મુલાકાત સમયે આલાપભાઈ અને ભરતભાઈ સાથે સ્વ. મનસુખભાઇ બારાઇએ કરેલી સેવાકીય – સંસ્થાકીય તેમજ ગૌ શાળાની પ્રવૃતિઓ અને સંસ્થાઓ વિષેની જાણકારી મેળવી તેમને કરેલા સત્કાર્યોની સરાહના કરી હતી. ઓખા દ્વારકાના ખબર અંતર પણ મહામહીમ રાષ્ટ્રપતિશ્રીએ પુછ્યા હતા.

રાષ્ટ્રપતિશ્રીએ અગાઉની મુલાકાત દરમિયાન જણાવ્યું હતું કે તેઓ જયારે પણ ગુજરાત આવશે ત્યારે સ્વ. મનસુખભાઇ બારાઇના પરીવારના લોકોને જરૂરથી મળશે. તાજેતરમાં ગાંધીનગરની મુલાકાત દરમીયાન તેઓએ સામેથી મુલાકાત આપી પોતાની સાદગી અને દરીયાદિલીનો પરિચય આપ્યો હતો.

Story By : જામ જયમલસિંહ એ.બી. જાડેજા
maa news live : Youtube / Dailyhunt /
Fb / instagram / Twitter / Telegram
9725206123 to 37 (15 cug number)
Whatsapp : 9428748643

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exclusive News