અમૃતપેય(ઉકાળા) વિતરણ કેમ્પ શ્રી પાટ હનુમાનજી મંદિર, લાયન્સ ક્લબ ઓફ માધાપર તેમજ લોહાણા સમાજ વાડી ખાતે યોજવામાં આવ્યો છે
જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રી ડો.પવનકુમાર મકરાણી ના માર્ગદર્શન હેઠળ.આયુર્વેદ શાખા, જિલ્લા પંચાયત-કચ્છ,ભુજ ના સહયોગથી અમૃતપેય(ઉકાળા) વિતરણ કેમ્પ શ્રી પાટ હનુમાનજી મંદિર, લાયન્સ ક્લબ ઓફ માધાપર તેમજ લોહાણા સમાજ વાડી ખાતે યોજવામાં આવ્યો છે
દિપ પ્રાગટ્ય કરી અને આ કેમ્પને ખુલ્લો મુકવામાં આવ્યો હતો ,આ કેમ્પનું આયોજન ત્રણ દિવસ સાંજે ૪ થી ૭ વાગ્યા સુધી ગોઠવવામાં આવ્યું છે.
માધાપરના ૩૫૦૦ જેટલા લોકોએ લાભ લીધો, આ કેમ્પને સફળ બનાવવા માટે શ્રી પાટ હનુમાનજી મંદિર ખાતે માધાપર સ્પોર્ટસ મહિલા મંડળ, લાયન્સ ક્લબ ઓફ માધાપર ખાતે લાયન્સ ના સભ્યો, લોહાણા સમાજ વાડી ખાતે લોહાણા યુવક મંડળના સભ્યો તેમજ સરકારી આયુર્વેદ દવાખાનું-લોડાઈ ના મેડિકલ ઓફિસર ડો.જિજ્ઞેશ ઠક્કરે કેમ્પમાં પોતાની સેવાઓ આપી હતી.
અહેવાલ સૌજન્ય : પ્રવીણ ખોખાણી – માધાપર