આમ આદમી પાર્ટી પૂર્વ કચ્છ જિલ્લા દ્વારા શહિદોને કેન્ડેલ માર્ચ કરી શ્રદ્ધાંજલિ અર્પી

Contact News Publisher

આમ આદમી પાર્ટી પૂર્વ કચ્છ જિલ્લા દ્વારા ૧૪/૨/૨૦૧૯ નાં રોજ બનેલી ગોઝારી કરુણાંતિકા મા માં ભોમ ની રક્ષા માટે સદૈવ સરહદ પાર રહી ભારત માતા ની રક્ષા કરી રહ્યા હતા

એવા સી આર પી એફ ના ૪૨ થી વધારે જવાનો એક સાથે શહીદ થયા હતા , એમની યાદ મા દર વરસે ૧૪ ફેબ્રુઆરીના પુલવામા દિવસ તરીકે યાદ કરી ને ભારત ના સપૂતો ને શ્રદ્ધાંજલી આપવામાં આવે છે.

દીનદયાળ કંડલા પોર્ટની ગુજરાતનાં રાજ્યપાલે મુલાકાત લીધી,

જુઓ વીડિયો : 

એ અંતર્ગત આમ આદમી પાર્ટી પૂર્વ કચ્છ જિલ્લા દ્વારા પણ જિલ્લા મધ્યસ્થ કાર્યાલય ગાંધીધામ મા શહિદો ને કેન્ડેલ માર્ચ કરી શ્રદ્ધાંજલિ અર્પી હતી અને દિવંગત શહિદો ને યાદ કરી અવારનવાર દેશ ની સુરક્ષા મા છીંડા પાડી ને ભારતમાં ઘૂસણખોરી કરતા આંતકવાદીઓ સામે રોષ વ્યક્ત કર્યો હતો.

આ સમયે આમ આદમી પાર્ટી ગુજરાત રાજ્ય મંત્રી કે કે અન્સારી,પૂર્વ કચ્છ જિલ્લા પ્રમુખ જીતેન્દ્ર ઠકકર,રાજુભાઇ લાખાણી,પ્રશાંતભાઈ ભટ્ટ,ભગીરથ જાડેજા, આર ડી માતંગ,મનુભાઈ ચૌધરી,મહેશ કેવલ રામાણી,રેખાબેન કેવલ રામાણી,રવિશંકર શ્રીમાળી,અમૃત રાઠોડ,રમેશ વણકર વગેરે ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર અહેવાલ આમ આદમી પાર્ટી પૂર્વ કચ્છ જિલ્લા મીડિયા કો ઓર્ડીનેટર હિતેશભાઈ મકવાણા ની યાદી માથી જાણવા મળેલ હતી.

અહેવાલ :

નીરવ ગોસ્વામી,

માઁ આશાપુરા ન્યુઝ,

અંજાર બ્યુરો ,

9725206125 / 23

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *