સાતમ-આઠમના લોકમેળા માટે હમીરસર કિનારો સજ્જ : કૃષ્ણાજી પુલને દિવાલથી આડસ

Contact News Publisher

ભુજ શહેરના હૃદય સમાન હમીરસરના કિનારે ચાલુ સપ્તાહે શ્રાવણી સાતમ અને આઠમનો લોકમેળો ભરાવાનો છે. ચાલુ વર્ષે બિપરજોય વાવાઝોડાના લીધે તળાવ ભરાઇ જતા શહેરીજનોને મોજ પડી ગઇ છે. મોટી સંખ્યામાં લોકોમેળામાં ઉમટી પડે તેવી સંભાવનાઓ વચ્ચે મેળાની રાઇડ્સ તેમન અન્ય સ્ટોલ્્સ ગોઠવાઇ રહ્યા છે. બીજી તરફ, મોરબી પુલ હોનારત પછી બંધ કરાયેલા ભુજના ઐતિહાસિક કૃષ્ણાજી પુલ પરથી મેળામાં આવતા લોકો રોકી શકાય તે માટે આડસરૂપે દિવાલ બનાવવાની તંત્રને ફરજ પડી છે. સંખ્યાબંધ લોકો એકસાથે પુલપરથી પસાર થાય ત્યારે કોઇ હાનિ ન થાય તે માટે આગોતરા પગલા લેવાયા છે.