રાજકોટ લોકમેળામાં આરોગ્ય વિભાગે ખાણીપીણીના વિવિધ સ્ટોલ પર પાડ્યા દરોડા, ફરસાણ સહિતના અખાદ્ય જથ્થાનો કરાયો નાશ

Contact News Publisher

આવતીકાલે જન્માષ્ટમીનો તહેવાર છે. ત્યારે દર વર્ષે રાજકોટમાં સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો યોજાય છે.  આ વર્ષે પણ સૌરાષ્ટ્રના સૌથી મોટા રાજકોટના લોકોમેળાની શરૂઆત થઈ ગઈ છે, ત્યારે આરોગ્ય વિભાગ પણ સતર્ક બન્યું  છે. આરોગ્ય વિભાગે ખાણીપીણીના વિવિધ સ્ટોલનું ચેકિંગ હાથ ધર્યું.આ ચેકિંગ  લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થતા હોવાનું સામે આવ્યું છે . આરોગ્ય વિભાગની ટીમે ફરસાણ સહિતની અખાદ્ય ચીજ વસ્તુઓનો સ્થળ પર નાશ કર્યો. ફૂડ લાઈસન્સથી લઈને ખાદ્ય પદાર્થની ગુણવત્તાની ચકાસણી કરી. મકાઈ, ખીચું, સ્ટીમ ઢોકળા, ચાઈનીઝ વગેરે સ્ટોલ ધારકોનું ચેકિંગ કરાયું હતું . તેમજ વિવિધ ખાદ્ય ચીજ વસ્તુઓના નમૂના લેવામાં આવ્યા છે .