ઈન્ડિયા ગઠબંધન છે સનાતન વિરોધી, આવા લોકોને રોકવા પડશે: PM મોદીનો વિપક્ષ પર પ્રહાર
Contact News Publisher
પીએમ મોદીએ સનાતન ધર્મને લઈને આપવામાં આવેલા નિવેદનો પર પોતાની પ્રતિક્રિયા આપી છે. સાથે જ PM મોદીએ સનાતન વિરોધને લઈને ‘ઈન્ડિયા ગઠબંધન’ પર જોરદાર પ્રહારો કર્યા હતા. પીએમએ કહ્યું કે વિપક્ષ સનાતનનો નાશ કરવા અને ભારતને ગુલામીના યુગમાં પાછું લઈ જવા માંગે છે.દેશમાં G20નું સફળતાપૂર્વક આયોજન કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ સાથે મધ્યપ્રદેશના બીના પહોંચ્યા હતા. આ દરમિયાન વડાપ્રધાને 26 વિપક્ષી પાર્ટીઓ દ્વારા રચાયેલા INDIA ગઠબંધન પર પણ નિશાન સાધતા તેને સનાતન વિરોધી ગણાવ્યું હતું. પીએમ મોદીના નિવેદન વિશેની 10 મહત્વની વાતો જાણીએ.