પાણી ભરેલા ખાડામાં બે બાળકો ન્હાવા પડતા મોત

Contact News Publisher

 ભાવનગર જિલ્લામાંથી એક દર્દનાક ઘટના સામે આવી છે. જેમાં પાણીના ખાડામાં ન્હાવા પડેલા બે માસુમ બાળકોના ડૂબી જવાથી મોત નિપજ્યાં છે. ફાયર વિભાગની ટીમ દ્વારા બંને બાળકોના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા છે. હાલ બંનેના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. આ દર્દનાક ઘટનાથી મૃતક બાળકોના પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.