ઈઝરાયલમાં રહેતાં ભારતીયો માટે કેન્દ્ર સરકારે જાહેર કરી એડવાઈઝરી

Contact News Publisher

ઈઝરાયલ અને પેલેસ્ટાઈન  વચ્ચે છંછેડાયેલી યુદ્ધ જેવી સ્થિતિ પર ભારત સતત નજર રાખી રહ્યું છે. હમાસના આતંકીઓએ ઈઝરાયલ પર હુમલો કરી દીધો અને ત્યારબાદ ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ (Israel PM Netanyahu) સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક સંદેશ જારી કરી યુદ્ધની જાહેરાત કરી દીધી. ઈઝરાયલના સંરક્ષણ મંત્રીએ કહ્યું છે કે હમાસે ઈઝરાયલ વિરુદ્ધ યુદ્ધ આરંભ્યું છે. તેમાં ઈઝરાયલ જ જીતશે.