AAP જ્ઞાન સહાયક યોજનાના વિરોધમાં દાંડીથી સાબરમતી આશ્રમ સુધી યુવા અધિકાર યાત્રા કરશે
Contact News Publisher
રાજ્યમાં જ્ઞાન સહાયક કાયદાના વિરોધમાં આમ આદમી પાર્ટી દ્વારા દાંડી યાત્રા કાઢવામાં આવશે. આ યાત્રા દાંડીથી શરૂ કરવામાં આવશે અને ગાંધી આશ્રમ સુધી આ યાત્રા ચાલશે.આ યાત્રાનું નામ ‘યુવા અધિકાર યાત્રા’ રાખવામાં આવ્યું છે.દાંડીથી 13 ઓક્ટોબરના રોજ શરૂ થશે અને 20 ઓક્ટોબરના રોજ ગાંધી આશ્રમ ખાતે તેનું સમાપન થશે.જ્ઞાન સહાયકનો કાળો કાયદો રદ કરો અને શિક્ષકોની કાયમી ભરતી કરો તે ઉદ્દેશ સાથે આ ઉંધી દાંડી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.
1 thought on “AAP જ્ઞાન સહાયક યોજનાના વિરોધમાં દાંડીથી સાબરમતી આશ્રમ સુધી યુવા અધિકાર યાત્રા કરશે”
Comments are closed.