INDvsPAK મેચને લઇ વડોદરામાં વિજય સરઘસ નીકાળવા પર પ્રતિબંધ, CPએ બહાર પાડ્યું જાહેરનામું

Contact News Publisher

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આવતીકાલે રમાનારી ભારત-પાકિસ્તાન વચ્ચેની વર્લ્ડ કપની મેચને લઈને વડોદરા પોલીસ કમિશનર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. વડોદરા શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે શહેરમાં વિજય સરઘસો પર પ્રતિબંધ લગાવ્યો છે. આ સાથે જ ભારત-પાકિસ્તાનની મેચ દરમિયાન શહેરમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.