રાજકોટમાં હાર્ટ એટેકથી વધુ બે યુવાનોના મોત, પરિવારમાં શોકનો માહોલ

Contact News Publisher

છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાં યુવનોમાં હાર્ટ એટેક આવવાની ઘટનામાં વધારો થયો છે. ત્યારે રાજકોટમાં વધુ બે લોકોના હાર્ટ એટેક આવવાથી મોત નિપજ્યુ છે. રાજકોટમાં 20 વર્ષીય અને 35 વર્ષના યુવકનું મોત નિપજ્યું છે. નેપાળથી 3 મહિના અગાઉ મજૂરી અર્થે આવેલો 20 વર્ષીય યુવાન યુવકનું મોત થયુ છે. જ્યારે રૂખડિયાપરા વિસ્તારમાં રહેતા 35 વર્ષીય યુવકનું પણ હાર્ટ એટેકથી મોત થયુ છે.

તો બીજી તરફ દાહોદના દેવગઢ બારિયામાં વધુ એક યુવકનું હાર્ટ એટેકને કારણે મોત થયું છે. રૂવાબારી ગામના 19 વર્ષીય યુવક બારીયા ગામના મેળામાં ગયો હતો દરમિયાન યુવક એકાએક નીચે ઢળી પડ્યો હતો.જેથી ત્યાં હાજર લોકો યુવકને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઇ ગયા હતા.હોસ્પિટલમાં હાજર તબીબોએ યુવકને મૃત જાહેર કર્યો હતો.અચાનક યુવકના મોતને પગલે પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો છે.