સુરતના રાંદેર રોડ તાડવાડીની પટેલ હોસ્પિટલના ડો.ઉદય પટેલનો ભેદી સંજોગોમાં આપઘાત

Contact News Publisher

સુરતના રાંદેર રોડ તાડવાડી ખાતે પટેલ હોસ્પિટલ ધરાવતા ડો.ઉદય પટેલે જાતે જ પોતાના હાથમાં ઇન્જેકશન મારી આપઘાત કરી લેતા ચકચાર મચી ગઇ છે.

અડાજણના પટેલનગર સોસાયટીમાં રહેતા ડો.ઉદયભાઈ કાંતિલાલભાઈ પટેલ (ઉ.વ.54 ) એ ગત રાત્રે રાંદેર તાડવાડી ખાતે આવેલ પોતાની પટેલ હોસ્પિટલની અંદર જાતે જ એક હાથમાં વેન ફ્લો નાખી કોઈ ઈન્જેકશન મારી લીધું હતું. હોસ્પિટલ સ્ટાફને તેઓ બેભાન હાલતમાં મળી આવતા તુરંત જ અન્ય ડોક્ટરોને જાણ કરતા તેઓ દોડી આવ્યા હતા અને તેમને ચેક કર્યા બાદ મૃત જાહેર કરવામાં આવ્યા હતા. ઘટના અંગે રાંદેર પોલીસે જણાવ્યું હતું કે ડો.ઉદયે ભરેલા પગલા અંગેની તપાસ ચાલી રહી છે. તેમના પરિવારમાં માતા-પિતા, પત્ની અને પુત્ર છે. પુત્ર અમેરિકામાં મેડીકલનો અભ્યાસ કરે છે.