ખંભાળિયા હાઇવે પર દ્વારકા દર્શને જઇ રહેલા પદયાત્રીઓને કાર ચાલકે ફંગોળ્યાં, 3નાં મોત, એક ગંભીર

Contact News Publisher

ગુજરાતમાં છાશવારે અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે તાજેતરમાં જ જામનગરના ખંભાળિયા હાઇવે પર એક ગંભીર અકસ્માત થયાનું સામે આવ્યું છે. જેમાં 3 લોકોના મોત નિપજ્યાં છે.

જામનગરના ખંભાળિયા હાઇવે પર એક બેફામ કારચાલકે પદયાત્રીઓને અડફેટે લેતા 3 પદયાત્રીઓના કરૂણ મોત નિપજ્યાં છે. જ્યારે એક પદયાત્રી ગંભીર રીતે ઘાયલ થયો છે. જેને સારવાર હેઠળ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે.

Exclusive News