ખંભાળિયા હાઇવે પર દ્વારકા દર્શને જઇ રહેલા પદયાત્રીઓને કાર ચાલકે ફંગોળ્યાં, 3નાં મોત, એક ગંભીર
ગુજરાતમાં છાશવારે અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે તાજેતરમાં જ જામનગરના ખંભાળિયા હાઇવે પર એક ગંભીર અકસ્માત થયાનું સામે આવ્યું છે. જેમાં 3 લોકોના મોત નિપજ્યાં છે.
જામનગરના ખંભાળિયા હાઇવે પર એક બેફામ કારચાલકે પદયાત્રીઓને અડફેટે લેતા 3 પદયાત્રીઓના કરૂણ મોત નિપજ્યાં છે. જ્યારે એક પદયાત્રી ગંભીર રીતે ઘાયલ થયો છે. જેને સારવાર હેઠળ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે.
જણાવી દઇએ કે, દ્વારકા દર્શન માટે જઇ રહેલા પદયાત્રીઓ જ્યારે જામનગરના ખંભાળિયા હાઇવે પરથી પસાર થઇ રહ્યાં હતા. એ દરમ્યાન એક કારચાલકે હડફેટે લેતા પદયાત્રીઓને ફંગોળી દેતા 3 પદયાત્રીઓના દુ:ખદ રીતે મોત થયા હતા. અકસ્માતના કારણે ઘટના સ્થળે લોકોના ટોળાં પણ એકત્ર થઇ ગયા હતા. જોકે આ ઘટનાની જાણ થતા જ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને રસ્તા પરનો ટ્રાફિક હળવો કર્યો હતો. હાલમાં આ મામલે પડાણા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.