અમદાવાદ સાબરમતી નદીમાં એક દિવસમાં મળી આવ્યા 4 મૃતદેહ
Contact News Publisher
અમદાવાદના સાબરમતી નદી પર વિદેશી મહેમાનો મુલાકાત પણ લેતા હોય છે. અહીં પહેલા લોકો એક ક્ષણ આવવાનો વિચાર કરવાનું ટાળતા હતા તે નદી પર રિવર ફ્રન્ટ બનતા નદી પર્યટનનું સ્થળ બની છે.
જોકે આટલું થવા છતાં નદીમાંથી મૃતદેહ મળી આવવાનો સિલસિલો બંધ નથી થઈ રહ્યો અને તેમાં પણ આજે એક જ દિવસમાં અલગ અલગ સમય અને અલગ અલગ સ્થળ પરથી નદી માંથી 4 મૃતદેહ મળી આવ્યા. જે 4 મૃતદેહ ફાયર બ્રિગેડે બહાર કાઢી પોલીસને સોંપ્યા. જ્યાં પોલીસે મૃતકોના મોત અંગે તપાસ શરૂ કરી છે.