ભારતની હારથી દુઃખી થયેલા વધુ એક યુવાને કરી આત્મહત્યા, બંગાળ બાદ આ રાજ્યમાં બની ઘટના

Contact News Publisher

ગત રવિવારે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલ ICC વર્લ્ડ કપ 2023ના ફાઈનલ મુકાબલામાં ટીમ ઈન્ડિયાએ હારનો સામનો કરવો પડ્યો હતો. આ હારથી ક્રિકેટ ચાહકોમાં નિરાશા જોવા મળી રહી છે. ત્યારે આ હારથી દુ:ખી થઈને વધુ એક યુવાને આત્મહત્યા કરી લીધી છે. ઓડિશામાં 23 વર્ષીય યુવાને ભારતીય ટીમને ફાઈનલમાં મળેલી હારથી દુ:ખી થઈને કથિત રીતે આત્મહત્યા કરી લીધી છે.

ક્રિકેટ વર્લ્ડ કપના ફાઈનલ મુકાબલામાં ભારતની ઓસ્ટ્રેલિયા સામે હાર બાદ પશ્ચિમ બંગાળના બાંકુરા અને ઓડિશાના જાજપુરમાં એમ બે લોકોએ કથિત રીતે આત્મહત્યા કરી લીધી છે. પશ્ચિમ બંગાળની ઘટના મામલે પોલીસે જણાવ્યું હતું કે, બેલિયાટોર પોલીસ સ્ટેશન વિસ્તાર અંતર્ગત આવેલા સિનેમા હોલ પાસે રવિવારે રાત્રે લગભગ 11 વાગ્યે રાહુલ લોહાર નામના 23 વર્ષીય યુવકે આત્મહત્યા કરી લીધી હતી.