રિઝલ્ટ પહેલા જ કોંગ્રેસમાં CM પદને લઈને ચર્ચા શરૂ

Contact News Publisher

 રાજસ્થાન કોંગ્રેસમાં ફરી રાજકીય માહોલ ગરમ થાય તેવા નવા સમાચાર સામે આવ્યા છે. અશોક ગેહલોત અને સચિન પાયલોટ વચ્ચેના અણબનાવની બાબતના બધા જ વાકેફ છે. જો કે કોંગ્રેસે સ્પષ્ટ જણાવ્યું છે કે પાર્ટીમાં કોઈ ભાગલા નથી અને તમામ નેતાઓ એક થઈને ચૂંટણી લડ્યા છે. આ દરમિયાન કોંગ્રેસ નેતા રઘુ શર્માએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે ભવિષ્ય માત્ર સચિન પાયલટનું છે. તેમણે અશોક ગેહલોતના સમર્થનમાં પણ વાત કરી હતી અને કહ્યું હતું કે મુખ્યમંત્રી રાજસ્થાનની તમામ સીટો પર ચૂંટણી લડી રહ્યા છે કારણ કે તેમણે પાંચ વર્ષ સુધી રાજ્ય ચલાવ્યું છે.