જામનગરમાં રોઝું ખોલવા જઈ રહેલા મુસ્લિમ અગ્રણીની જાહેરમાં હત્યા

Contact News Publisher

જામનગરના જાણીતા વકીલ હારૂન પલેજાની હત્યા નિપજાવી દેવાતા ચકચાર મચી …જૂથી અદાવતમાં હત્યા કરાઈ હોવાનું પ્રાથમિક અનુમાન .. વકીલ અને મુસ્લિમ સમાજમાં ફેવાયો રોષ,,, જામનગર પોલીસની જુદી જુદી ટુકડીઓ આરોપીઓને પકડવા માટે કામે લાગીજામનગરમાં જાણીતા એડવોકેટ અને મુસ્લિમ વાઘેર સમાજના અગ્રણી તેમજ કોંગ્રેસના સિનિયર આગેવાન હારૂન પલેજાની ગઈકાલ સાંજે સરાજાહેર હત્યાના પગલે સમગ્ર હાલાર પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે. જ્યારે જાણીતા ધારાશાસ્ત્રીની જામનગરમાં સતત બીજી હત્યાની ઘટનાને લઈને જામનગર વકીલ મંડળમાં પણ ભારે નારાજગી જોવા મળી છે અને આવતીકાલે જામનગર વકીલ મંડળ દ્વારા કોર્ટ કાર્યવાહીથી દૂર રહેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

Exclusive News