આણંદ: આંકલાવની શાળાના લંપટ પી.ટી. શિક્ષકે 17 વર્ષની વિદ્યાર્થીનીને પ્રેમ જાળમાં ફસાવી, 13 દિવસ સુધી આચર્યું દુષ્કર્મ

Contact News Publisher

આણંદ જિલ્લાનાં આંકલાવ તાલુકામાં શિક્ષણ જગતને શર્મશાર કરતી ઘટના સામે આવી છે..માધ્યમિક શાળાના 42 વર્ષીય વિધુર શિક્ષક જયેન્દ્ર રાજ નામના પીટી શિક્ષકે 17 વર્ષીય સગીર વિદ્યાર્થીનીને રમતગમતમાં આગળ વધવાની લાલચ આપીને પ્રેમજાળમાં ફસાવી હતી.

નરાધમ વાંરવાર વિદ્યાર્થીનીને કહેતો કે હું તને બહું આગળ લઈ જઈશ. એટલું જ નહીં તેને વિદ્યાર્થીનીને લગ્નની પણ લાલચ આપી ભગાડી જઇને 13 દિવસ સુધી દુષ્કર્મ આચર્યુ હતું.આ દરમ્યાન સગીરાને ભગાડીને ડાકોર પાસે પીલોદ ગામે તેના મિત્રને ત્યાં લઇ જઈ ગોંધી રાખી હતી.

13 દિવસ બાદ સગીર યુવતી ઘેર આવતા પરિવારજનોએ કડક પુછપચ્છ કરતા ભાંડો ફૂટ્યો હતો..આ અંગે આંકલાવ પોલીસે ફરિયાદ નોંધીને નરાધમ જયેન્દ્ર રાજની અટકાયત કરી છે.

Exclusive News