સુરેન્દ્રનગરમાં વ્યાજખોરોએ હદ વટાવી, પૈસા માટે ધોળા દિવસે 2 મહિલા સહિત બાળકોને ઉઠાવી લીધા, પછી શું થયું?
રાજ્યમાં ફરી વ્યાજખોરોનો ત્રાસ વધી રહ્યો છે. ત્યારે સુરેન્દ્રનગરમાં વ્યાજખોરોનો ત્રાસ વધી રહ્યો છે. વ્યાજખોરો દ્વારા હવે હદ વટાવી છે. પૈસાની જરૂરીયાત હોઈ યુવક દ્વારા વ્યાજે પૈસા લીધા હતા. જે બાદ વ્યાજખોર દ્વારા અવાર નવા રૂપિયાની ઉઘરાણી કરવા માટે બાળકોનું અપહરણ કર્યું હતું. ત્રણ શખ્શોએ 2 મહિલા અને 2 બાળકોનું અપહરણ કર્યું હતું.
વ્યાજખોરોનાં ત્રાસથી પરિવાર અન્યત્ર રહેવા ગયો
સુરૈઈ ગામે વ્યાજે આપેલ પૈસાની ઉઘરાણી બાબતે મહિલા તેમજ બાળકોનું અપહરણ કરવામાં આવ્યું હતું. વ્યાજખોરોનાં ત્રાસથી પરિવારજનો કંટાળી અન્યત્ર જગ્યાએ રહેવા પહોંચ્યો હતો. ત્યારે પરિવારજનો શાંતિથી વિંછીયા તાલુકાનાં રૂપાવટીનો પરિવાર સુરેઈ ગામે સબંધીને ત્યાં રહેવા આવ્યો હતો. જે બાબતની જાણ વ્યાજખોરોને થતા વ્યાજખોરો દ્વારા રાત્રીના સુમારે ત્યાં પહોંચી ત્રાણ લોકોનું અપહરણ કરી રાત્રે ઘરે મૂકી ગયા હતા.
પોલીસે ગણતરીનાં કલાકોમાં બંને શખ્શોને ઝડપી પાડ્યા
વ્યાજખોરો દ્વારા વ્યાજખોરો દ્વારા 2 મહિલાઓ તેમજ બાળકોનું અપહરણ કર્યું હતું. જે બાબતે પરિવારજનોઓએ અપહરણકારો વિરૂદ્ધ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. ચોટીલા પોલીસે ગણતરીનાં કલાકોમાં જ બંને શખ્શોને ઝડપી પાડ્યા હતા.