અમદાવાદ સહિત બે શહેરોમાં ફાટી નીકળ્યો રોગ, હોસ્પિટલમાં દર્દીઓનો ટ્રાફિકજામ
શહેરમાં ગરમી સાથે રોગચાળો વકર્યો છે. સાથે જ H1N1 ના કેસમાં વધારો જોવા મળ્યો છે. તો ફરી એકવાર કોરોના એ દસ્તક દીધી છે. ત્યારે જોઈએ શહેરની રોગચાળા ને લઈને શુ છે પરિસ્થિતિ છે.
રાજ્યમાં ઠંડી બાદ આવેલી ગરમી સાથે રોગચાળો વકર્યો છે. જેણે તંત્રની ચિંતામાં વધારો કર્યો છે. મળતી માહિતી પ્રમાણે શહેરમાં ઝાડા-ઊલ્ટી, કમળો, ટાઇફોઇડ અને કોલેરા જેવા પાણીજન્ય રોગચાળાના 855 કેસ નોંધાયા છે. કોલેરાના 4 કેસ આવતાં મ્યુનિ.એ છેલ્લા 3 મહિના દરમિયાન કરેલી પાણીની તપાસમાં 157 સેમ્પલ અનફીટ આવ્યા છે. અર્થાત્ આ પાણી પીવાલાયક હતું નહીં. અનફીટ સેમ્પલમાંથી સૌથી વધુ 98 દક્ષિણ ઝોનના હતા. 2023માં પણ દક્ષિણ ઝોનમાંથી સૌથી વધુ 414 પાણીના સેમ્પલ અનફીટ સેમ્પલ પુરવાર થયા હતા. તો માર્ચના 24 દિવસમાં જ પાણીજન્ય રોગચાળો વકર્યો છે.
આ સાથે જ H1N1 na કેસમાં પણ વધારો નોંધાયો છે. જ્યાં શહેરમાં 173 કેસ નોંધાયા જે ગત વર્ષના માર્ચ મહિનામાં 100 કેસ હતા. તો આ વર્ષના કેસમાં અસારવા સિવિલમાં H1N1 5 દર્દીને નોંધાયા દાખલ કરાયા છે. 5 કેસમાં એચ વન એન વનનું એક દર્દી જે સ્ટેબલ થતા તેને રજા આપી દેવામાં આવી. હાલ હોસ્પિટલમાં 4 દર્દી દાખલ છે. આ 4 દર્દીઓ 48 વર્ષથી 63 વર્ષ સુધીમાં દર્દી છે. 3 દર્દી એવા છે જેને સિવિયર કો-મોરબિલિટીઝ છે. જે 3 દર્દી ગુજરાતના અને એક દર્દી મધ્યપ્રદેશનું છે. દર્દીઓમાંથી 1 દર્દી વેન્ટિલેટર પર અને 2 દર્દી સામાન્ય ઓક્સિજન પર છે. તો બીજી તરફ હાલ કોવિડ ના 2 દર્દી અસારવા સિવિલમાં દાખલ છે. જે બંને દર્દી સિવિયર મોરબીડિટીઝ વાળા છે. 1 દર્દી 40 વર્ષના પુરુષ છે અને બીજો દર્દી 75 વર્ષના મહિલા છે. બંને દર્દીને સામાન્ય ઓક્સિજન પર રખાયા છે.
શહેરમાં વધેલા રોગચાળામાં ઝાડા-ઊલટીના 562, કમળાના 85, ટાઇફોઇડના 204, તેમજ કોલેરાના 4 કેસ સામે આવ્યા છે. પાણીજન્ય રોગચાળો વકરતાં કરવામાં આવેલી તપાસમાં પકડાયું હતું કે, 406 કિસ્સામાં પાણીમાં ક્લોરિન હતું જ નહીં. તો છેલ્લા 24 દિવસમાં પાણીના સેમ્પલોની ચકાસણીમાંથી 60માં બેક્ટેરિયા પકડાયો હતો. દાણીલીમડામાં પાણીના સૌથી વધુ 32, બહેરામપુરામાં 24, વટવામાં 18, લાંભામાં 11, ઈસનપુરમાં 6, મણિનગરમાં 1 સેમ્પલ ફેલ પુરવાર થયું હતું. ઉપરાંત ગોમતીપુરમાં 3, વિરાટનગરમાં 3, નિકોલમાં 2, સરસપુરમાં 3, કુબેરનગરમાં 2, મક્તમપુરામાં 4, ચાંદખેડામાં 2 સેમ્પલમાં પાણીમાં બેક્ટરિયા મળ્યા હતા. જે એજ બતાવે છે કે શહેરમાં ક્યાંક પીવા લાયક પાણી નથી. તો ઋતુના કારણે રોગચાળો પણ વકરી રહ્યો છે.
રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના અધિકારીએ કહ્યું હતું કે હાલ જે રોગચાળો વકરીઓ છે તેમનું કારણ એ છે કે સવારમાં ઠંડુ વાતાવરણ હોય છે જ્યારે બપોરે 40 ડિગ્રી સુધીનું તાપમાન પહોંચી જતું હોય છે આ ઉપરાંત અન્ય પરિબળો પણ જવાબદાર છે જેમના કારણે રોગચાળો વોકર્યો છે. શહેરીજનો માટે ચિંતાનો કારણ કહી શકાય તે સીઝનલ ફ્લૂ કે જે ભૂતકાળમાં સ્વાઈન ફ્લૂ તરીકે ઓળખાતો હતો તે ના કેસમાં પણ વધારો જોવા મળી રહ્યો છે સરકારની ગાઇડલાઇન્સ પ્રમાણે સીઝનલ ફ્લુ ની કેટેગરી એ અને કેટેગરી બિ ના ટેસ્ટ થતા નથી હોતા પરંતુ ખેતી કરી સી એટલે કે જે કે સિરિયસ જણાય છે તેમના ટેસ્ટ કરવામાં આવતા હોય છે. સરકારી ઉપરાંત રાજકોટ શહેરની ખાનગી હોસ્પિટલોમાં પણ દર્દીઓ વધારે જોવા મળે છે.