ભુજ સુધરાઇએ ચાર દિવસમાં બાકીદારોના પાણી, ગટરના ૨૪ જોડાણ કાપી નાખ્યા
ભુજ નગરપાલિકાના મુખ્ય અધિકારીએ વર્ષોથી સુધરાઈના બાકી વેરા ન ભરનારા ઉપર સખ્તાઈથી પેશ આવવાનું શરૂ કરી દીધું છે. છેલ્લા 4 દિવસમાં ભીડ અને સરપટ નાકે નગરપાલિકાની માલિકીની દુકાન માલિકોના બાકી ચડત વેરા અને ભાડા સહિતની રકમ વસુલવા સીલિંગ સહિતની કામગીરી હાથ ધરી છે. આજથી કામગીરીના કલાકો પણ વધારી દેશે અને સવારથી રાત સુધી કાર્યવાહી ચાલુ રાખશે.
ટેક્સ સુપ્રિન્ટેન્ડેન્ટ હિતેન્દ્રસિંહ જાડેજાને કોલ કરી પૂછતા તેમણે જણાવ્યું હતું કે,2021ની 10મી માર્ચ સુધીમાં કુલ 11 કરોડ 76 લાખ 18 હજાર 43 રૂપિયાની વસુલાત થઈ છે, જેમાં મિલકત વેરો, શિક્ષણ ઉપરકર, પાણી, ગટર, દિવાબત્તી સહિતના ચાર્જ પેટે 9 કરોડ 94 લાખ 33 હજાર 824 રૂપિયા વસુલાયા છે. વ્યવસાય વેરા પેટે 1 કરોડ 49 લાખ 69 હજાર 126 રૂપિયા વસુલાયા છે. દુકાન ભાડા પેટે 32 લાખ 15 હજાર 93 રૂપિયા વસુલી શકાયા છે.
7 thoughts on “ભુજ સુધરાઇએ ચાર દિવસમાં બાકીદારોના પાણી, ગટરના ૨૪ જોડાણ કાપી નાખ્યા”