હે ભગવાન એ બેન ને માફ કરશો , કારણ એને ખબર નથી એ શું બફાટ કરી રહ્યા છે !

Contact News Publisher

આજે એક નહીં પણ અનેક કહેવતો યાદ આવી છે ,
કારણ ઓલ્યા બફાટ કરતાં બેન !
મારા બા કહેતાં ચર્યા નાં ગામ ન હોય ,
મતલબ કે ચર્યા (ગાંડા) કોઈ એક ગામમાં નહીં દરેક ગામમાં જોવા મળશે .
બીજી કહેવત છે : જે અમે લાઠોડીયા ગામનાં ચોરે બેસતાં ત્યારે બોલતાં , પણ અહીંયા આખી કહેવત નહીં બોલું (ખરાબ) લાગશે ,
પણ ઓલ્યા બેનને તો જાણે અક્કલ અને નાક બેય ના હોય એમ મજા આવે એ ઝીંક્યા રાખે છે ,
ભાઈ આ તો ભારત દેશ છે , અહીં વાણી સ્વતંત્રતા વારસામાં મળે કે ન મળે પણ ડૉ. બાબા સાહેબ બંધારણ માં જરૂર આપી ગયા છે ; જોકે આજે ભીમરાવનાં આત્માને પણ અફસોસ અને દુઃખ થતું હશે જ્યારે આવા ટકા એકનાં લોકો બફાટ કરતાં હશે ત્યારે !
હા ઓલી કહેવત અધૂરી જ કહીશ : એક તો ચરઈ , ને માથે ઉગ્યા …. (સેન્સર લાગશે ) જોકે સેન્સર બોર્ડ ની વાત નથી, કારણ આજકાલ સિરીઝ જોતા હશે (હું એવું વાહિયાત જોઈને સમય બરબાદ નથી કરતો ) એમને ખબર હશે કે સેન્સર હવે નામ માત્રનું છે , કેવી કેવી ગાળો , કેવા કેવા દ્વિઅર્થી શબ્દો ! અરે એનાં કરતાં ખુલ્લી ગાળો આપવાની છૂટ આપી હોય તોય આવડું વાહિયાત ન લાગત.
આપણે આપણો ઈતિહાસ બદલવો પડશે , ભારત આઝાદ 1947 માં નહિ પણ 2014 માં (કેન્દ્રમાં ભાજપ સરકાર આવી એ વર્ષ ) થયું , એવું આપણાં ઈન્ટેલિજેન્ટ બેનનું કહેવું છે , યાર થોડી તો શરમ કરી હોત ,
પણ ક્યાં થી કરે શરમ , એની માટે હોવી તો જોઈએ .
બીજી કહેવત છે : હાથી નીકળતો હોય તો કૂતરા તો ભસે , પણ એને હાથી ગણકારે નહીં , આમ તો મને પણ આટલો સમય મારો અને તમારો એ મંદબુદ્ધિ બાઈ માટે બગાડવો યોગ્ય ન લાગ્યો , પણ આજે સવાલ બાપુ નો હતો એટલે રહેવાયું નહીં. પશ્ચિમનાં એક વિચારકે કહ્યું છે કે : આવનારી પેઢી થોડાં સમય બાદ માનવા રાજી નહીં હોય કે આવી હાડ માંસ વારી વ્યક્તિ પૃથ્વી ઉપર આવી પણ હશે !
અંગ્રેજો નાં મોટાં મોટાં વાઇસરોય એમનાં નીચેના અધિકારીઓને કહેતાં કે આ બુઢા પાસે વધુ ન બેસવું , નહીંતર એ તમારું માઈન્ડ બદલી નાંખશે અને તમે ગાંધી ની પડખે ઊભા રહીને અંગ્રેજોનો વિરોધ કરવા લાગી જશો.
અફસોસ એ કે આવી મહાન વિભૂતિનાં નામે હલ્કા લોકો હલકી પ્રસિદ્ધ મેળવી રહ્યા છે .
એક ત્રીજી કહેવત છે : ક્યાં રાજા ભોજ , અને ક્યાં ગંગુ તેલી !
જોકે જ્યારે જ્યારે પણ એ બેન ને સાંભળ્યા છે ત્યારે મને શંકા તો હતી કે એમનું કંઈ ઠેકાણે નથી લાગતું , અમારાં ગામમાં એને માથલો માળ ખાલી છે એમ કહેવાય ,
બેનનો પણ માથલો માળ ખાલી છે ; જો કોઈને રહેવા જાઉં તો જઈ શકે છે .
આઝાદી તો આજે પણ કનૈયા જેવા ઘણાં માંગી રહ્યા છે (હમેં ચાહિયે , વરી બધા બોલે આઝાદી – જોકે આ પણ નાટક જ છે , જોવા જઈએ તો આપણાં ભારતમાં છેલ્લા ઘણાં સમય થી માત્ર ને માત્ર નાટક જ ચાલી રહ્યા છે) તો એનો મતલબ એવો નથી કે આપણે આઝાદ નથી , એ તો કનૈયા અને બીજા લોકોને એમ લાગતું હશે કે આપણે આઝાદ નથી , એમ બેન ને પણ લાગતું હશે કે 2014 પહેલાં આપણે થોડાં આઝાદ હતા !
આજે તો એ વાત વાતમાં આંખ પટપટાવતા બેને તો હદ કરી નાંખી ,
બેને આજે વધુ એક બફાટ કર્યો : ” ગાંધીજી સત્તાનાં ભૂખ્યા હતા , તે ભગતસિંહને ફાંસી આપવા માંગતા હતા ! ”
આજે તો હદ કરી નાંખી યાર !
મેં થોડાં સમય પહેલાં જ લખેલું કે જો તમારે સસ્તી પ્રસિદ્ધ જોઈતી હોય તો કોઈ પણ મહાન વ્યક્તિ ને ગાળો દેવાની શરૂ કરો , એનાં વિશે એલફેલ બોલવાનું ચાલુ કરો , પછી જુઓ કેટલી ઝડપથી તમે લોકપ્રિય થઈ જાઓ છો.
લાગે છે આ બેન ને પણ સસ્તી પ્રસિદ્ધ નો ચસ્કો લાગ્યો છે ,આમેય ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ માં નશો કરવો એ સામાન્ય વાત થઈ પડી છે , આમ તો હાલ તો NCB નાં સપાટા બાદ બિચારા નસેડીઓ દિવાલના ચૂના કાઢીને ખાવા મજબૂર બન્યા હશે !
આ બેનને પણ નશાની પૂરતી કરવા કંઈક ને કંઈક એલફેલ બોલવાની આદત પડી છે !
આમ તો આવા નસેડીઓ અને માનસિક અસ્વસ્થ લોકો વિશે વાત કરવી પણ સમયનો બગાડ જ છે , એટલે આપનો વધુ સમય ન લેતાં જતા જતાં ભગવાન ને પ્રાર્થના કે બેનને સદબુદ્ધિ આપે , અને જે એણે બફાટ કર્યા છે એને નજર અંદાજ કરે , કારણ આવા લોકો સુધરવા માટે પેદા જ નથી થયા હોતા… તેમ છતાં આજ નહિ તો કાલ એને સદબુદ્ધિ આવે એવી પ્રાર્થના સાથે વિરમું છું.

આપને એમ થતું હશે કે છેલ્લે સુધી બેનનું નામ કેમ ન લીધું ? સાચું કહું તો હું એને એનાં માટે પણ લાયક નથી ગણતો .

જય હિન્દ …

Story By : જામ જયમલસિંહ એ.બી. જાડેજા
maa news live : Youtube / Dailyhunt /
Fb / instagram / Twitter / Telegram
9725206123 to 37 (15 cug number)
Whatsapp : 9428748643

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exclusive News